Friday, October 21, 2022

मनुस्मृति

मनस्य अनुकूल विधीयते इति सुखम्!
"મનને અનુકુળ હોય તે સુખ કહેવાય!" 

      - मनुस्मृति

Saturday, October 8, 2022

સાચી સમજદારી

જયાં સાચું બોલીને સંબંધ બગડતો હોય, ત્યાં મૌન રહીને સંબંધ સાચવી લેવામાંજ સાચી સમજદારી છે.

Tuesday, September 20, 2022

હું તારી ભીતર જ છુ

આમ અજવાળે મને શોધવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,આમ સમી સાંજે મને યાદ કરવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,એ કોયલના ટહૂકે મને સાંભળવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,એ વરસાદની ટપકામા મને મેહસુસ કરવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,રાચ રચીલા પાસેથી મારી આશા ન કર, હું તારી ભીતર જ છુ,મને જગતમા પામવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ.💞

Wednesday, August 10, 2022

ભૂલ

સમજાય તો !!!!

જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી...
તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી...

Wednesday, July 27, 2022

હાસ્ય

લાખોની ભીડમાં કરેલું હાસ્ય ખોટું હોઈ શકે,
પણ એકાંત માં નીકળેલા આંસુ તો સાચા જ હોય..!